એક દરવાજો ન ખુલ્યો મારી માટૅ,,ન મેં કદિ કહ્યું કે ખોલો તમે.............
એક આસું ન વહી શક્યુ આંખમાંથી,, ન તેં કદિ વહાવ્યું મારી માટૅ.........
લાગણીની લાશને જોઇ હસતી રહી ,,ન કહ્યૂં કબર દિલની ખોલો તમે.........
ઉંમરનો એક બાગ મૂરજાઇ ગયો,બસ રાખી છે સુવાસ,, સંભાળીને તારી માટે.............
અમારી ભૂલો ને માફ કરતા રેહજો,
જિંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રેહજો,
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે,
તો તમે ડગલે ને પગલે સાથ આપતા રેહજો
હું મ્રુત્યુ નો અણગમો શાને કરું?
ક્યાંક મારા જવાનો શોક હશે
તો........ક્યાંક
મારા આગમનની ખુશી હશે.....
પ્રેમમાં ખેંચાણ છે, આવી ગઈ શ્રધ્ધા મને
એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને
હું તને જોતે તો દુનિયાને પછી જોતે નહિ,
તું મને જોતે, તો જોતી થઈ જતે દુનિયા મને.jn
Friday, October 29, 2010
Thursday, October 28, 2010
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ...
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.
પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની
અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની
દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની
જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની
ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની
ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ..............jn
અહીં સારી નથી હોતી. ............
ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી;
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.
ખૂબી તો એ કે ડૂબી જાય તો લઇ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.
સિતારા શું કે આવે છે દિવસ રાતોય ગણવાના,
હંમેશાંની જુદાઇની દશા સારી નથી હોતી.
જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે દુઆ કરજો,
ઘણાંય એવાંય છે જેની દુઆ સારી નથી હોતી.
નથી અંધકારમય રસ્તો છતાં ખોવાઇ જાયે છે,
સૂરજને પણ સફર માટે દિશા સારી નથી હોતી.
બધાં સુખનો સમય મળતાં ભરે છે દમ ગરૂરીના,
વસંત આવ્યા પછી અહીંયા હવા સારી નથી હોતી.
વધે છે દુઃખના બોજા સાથ એક ઉપકારનો બોજો,
બતાવે છે મનુષ્યો એ દયા સારી નથી હોતી.
કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે,
અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી.
- બેફામ સાહેબ..........jn
gujrati sayriya
ફુલ અમને ગમતા નથી અને કાંટા ઓ પર અમને મમતા નથી,
ગમ્યા છે અમને પર્વતો જે સાલા કોઇને નમતા નથી.
બીજી ગમી છે તમારી મિત્રતા ,
કે જેને તોડવાની પેલા પર્વતો માં પણ ક્ષમતા નથી.....
ના કરો અનુમાન, કે મને કોન ગમે છે,
હોઠો પર મારા, કોનુ નામ રમે છે,
ઍ તું જ છે દોસ્ત જેની દોસ્તી અમને ગમી,
બાકી આથમતી સંધ્યા એ સુરજ પણ મારી આગળ નમે છે !......
જોઇ એક ઝલક એમની અને નસીબ સમજી બેઠા
આંખો ની ૧ ચમક ને પ્રેમ સમજી બેઠા,
એમની યાદ માં કર્યા છે રસ્તા ભીના
ને પાગલ લોકો એને વરસાદ સમજી બેઠા.......
સમજ સમજીને સમજને સમજો
સમજ સમજવિ એ પણ એક સમજ છે
જે ના સમજે આ સમજને
મારી સમજમાં એ નાસમજ છે.
મરનાર ની ચીતા
પર જનાર કોઇ ચઢતુ નથી,
કહે છે મરી
જઇશ તારી પાછળ કોઇ મરતુનથી.
દેહ ને આગ મા
બળતો જોઇ કોઇ બળતુ નથી,
અરે આગ તો
શુ..?? રાખ ને પણ કોઇ અડતુ નથી.
વાયદો કરી ને ગયું કે હું ૫ દિવસ પછી આવીશ,
કમબખ્ત જીવન ની ડાયરી માં
જોયું તો...
જીવવા ના દિવસો જ ૪ હતા....
કમબખ્ત જીવન ની ડાયરી માં
જોયું તો...
જીવવા ના દિવસો જ ૪ હતા....
Tuesday, October 26, 2010
aje rovade dil bharine..........
aje rovade dil bharine.............
aje ankho ne sujva de
aje samavi le tari bahoma
aje mane bhinjai java de
aje dil ma hase tene
aje dil bharine ne vahi java de
aje dard che atlu dilma
aje taro palav bhinjava de
aje rovade dil bharine.......
mane rova de................
aje rovade dil bharine....jn
Monday, October 25, 2010
દુનીયાજીતનારા ઘણાં સીકંદરો ભૂલાઈ ગયાં
દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે,
હારેલી જીંદગી જીવવાની પણ મઝા અનેરી હોય છે.
કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર,
તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે.
તમામ ઉમર જેને પામવાની તડપ હોય પરંતુ,
તેને મેળવીને ગુમાવાની પણ મઝા અનેરી હોય છે.
બે હાથ વડે ઝીંદગી ઉલેચનારાઓ એટલું પણ જાણો કે,
છેલ્લા શ્વાસે હથેળી ખાલી જોવાની પણ મઝા અનેરી હોય છે.
એક વાટ પકડી ને ચાલનારાઓ મંઝીલ જરુર પામેછે,
કીન્તુ માર્ગ માં ભટકી જવાની પણ મઝા અનેરી હોય છે.
દુનીયાજીતનારા ઘણાં સીકંદરો ભૂલાઈ ગયાં
એક-બે ના દીલ જીતી ચાલી જવાની પણ મઝાઅનેરી હોય છે………jn
Thursday, October 21, 2010
thay che k bas joyaj karu
tamne
jagvanu
ankhoma
tame
lakh
phool
bhgyama
tamne
tamne
prem ne shodhi ........
patthaer ni kitab ma hu prem ne shodhi rahyo chu
ran ma sodhi rahyo janjvana jal
have to ankho pan jankhi thai rahi che
jane chandi ne shodhi rahyo amas ma
patthaer ni kitab ma hu prem ne shodhi ............
sapna jova tara divas ma pan have rat sodhu chu
sagar na kinare jane dubi rahyo chu
jivan ni jankhi ne samjava tane shodhi rahyo chu
patthaer ni kitab ma hu prem ne shodhi ............
tane sodhva hu mari jatne mara ma sodhi rahyo chu
tarij najre hu mara ma hu ne shodhi rahyo chu
patthaer ni kitab ma hu prem ne shodhi ................jn
Wednesday, October 20, 2010
તારાવિનાની....................
.
નઝર વિનાની આખોંને શું કહું...?
શબ્દ વિનાના સાદને શું કહું.......?
તરસ છુપાવવા પાસ છે મગર........
તૂટેલા આ ગ્લાસને શું કહું.....?
એક વહેણ જો નદીનું ફંટાયું છે તારી પાસે....
સુકાયેલા આ નિરને શું કહું.....?
છાંયો મારો તને આપવો છે તાપમાં........
વ્રુક્ષ કેરી સુકી ડાળને શું કહું......?
રણમાં શોધવાની કોશિશ મારી નકામી હતી....
કે આ પાસેના મ્રુગજળને શું કહું....?
ઇચ્છું હું સુખજો ધરી શકું તને મારા...........
તારા વિનાના નિરસ જીવનને શું કહું.......?????
myfriend...........કુસુમ.......................kjp...
નઝર તૂં વળી જા........................
તારી સ્નેહાળ નઝરને હું કેમ કહું કે અહીથીં પાછી વળી જા.......
જ્યાં જઇ ઠરીશ ત્યાં તને અગન જ મળશે................
તને ખબર નથી કે અહીં મિત્રતા ના નામે દુશ્મની મળશે...............
તૂં ક્યાંક જઇ લપાઇ જા...............
ના સમજ તૂં અહીંથી વળી જા......................
વરસોથી વરસી થાક્યો વરસાદ ........
સરિતાની મીઠાશનો ન સાંભળે સાદ...........
સાગર જેવા નિષ્ઠુર સંબંધો મળશે.........
સંબંધોથી પર દુનીયામાં વસી જા..........
ના સમજ તૂં અહીંથી વળી જા................
ભુલો કરી હશે ઘણા એ ભુલથી.........
પણ ભુલને ઘડી ધડી કરનારા દૂર નથી...........
વારે વારે લૂંટી તને ભુલી જનાર હશે......
કોઇનો સાથ વગર રહેતા શીખીજા......
ના સમજ તૂં અહીંથી વળી જા..............
ઠરીશ ત્યાં અગન હશે.....એ પ્યારી નઝર તૂં અહીંથી વળી જા.....બસ વળી જા..........
my friend............................kjp......kusum/................
Monday, October 18, 2010
Take Care...!!
If you see some one without a smile,
give him one of yours,because you
are among a few very good people
who can shine others lives by just
walking with him a few miles.!!!
"Best friends are like diamonds, precious and rare
False friends are like leaves, found everywhere."
Have A Great Day My Friend...
Take Care...!!
jn
bhool jate ho..............
Andheri raat mein shama jalana bhool jate ho
Hamari yaad aati hai bhulana bhool jate ho
Jo ehsaan tum samajhte ho wo ehsaan to nahi magar
Jab ehsaan karte ho jatana bhool jate ho
Tumhari ik yehi aadat pareshaan hum ko rakhti hai
Nazar mein to aa jate ho samana bhool jate ho
Humein mehsoos hota hai hamare qurb mein aakar
Jo tanhai mein beeti hai sunana bhool jate ho
Tumhare hath main aksar gulabi phool hota hai
Hamari raah mein lekin bichana bhool jate ho
Tumhein to laut kar jane ki aksar fikr rehti hai
Magar jab laut jate ho to aana bhool jate ho
Suna hai tum apni hatheli per hamara naam likhte ho
Magar jab hum se milte ho dikhana bhool jate ho
jn
Sunday, October 17, 2010
ઇશ્વરનું બેલેન્સ કેવું અદભુત છે .
સુખી લોકોને પ્રશ્ન
થાય કે શું કરીએ તો ભૂખ લાગે
.. અને દુઃખી લોકોનો
પ્રશ્ન છે કે ભૂખ તો
લાગે છે , પણ શું કરીએ ?!!!
ઇશ્વરનું
બેલેન્સ કેવું અદભુત છે ...
પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે
મજુર
એકી સાથે ખરીદી ના શકે ; અને જે
ખરીદી શકે છે તે શેઠ તેને ઊપાડી ના
શકે
.
કેટલાક લોકોનું દિલ
દરિયા જેવું વિશાળ હોય છે .. જેમાં એક
ચકલું ય પોતાની
તરસ ના છિપાવી શકે
!!!
na jane dil ne shu thayu che aje.....
na jane aje dil ne su taayu che bas tarstuj jay che
jane lage che aj ni taras kyarey na chipya
aje lage che jane kuvo bharine pani ochu padse
na jane aje dil ne shu thayu che .........................
tarsya nayana aje vat jue che amni pan
taras chipase tyare jyare nayan thi thase nayan ni nem
vat jue che aje kag dole amni jane man
aj haiyama avi che vasant ni hem jane
vai rahyache pavan chare or aje
na jane aje dil ne su thayu che .....................jn
jane lage che aj ni taras kyarey na chipya
aje lage che jane kuvo bharine pani ochu padse
na jane aje dil ne shu thayu che .........................
tarsya nayana aje vat jue che amni pan
taras chipase tyare jyare nayan thi thase nayan ni nem
vat jue che aje kag dole amni jane man
aj haiyama avi che vasant ni hem jane
vai rahyache pavan chare or aje
na jane aje dil ne su thayu che .....................jn
Thursday, October 14, 2010
friendship is precious,
But friendship is precious,
not only in the shade,
but in the sunshine of life,
and thanks to a benevolent arrangement
the greater part of life is sunshine…
not only in the shade,
but in the sunshine of life,
and thanks to a benevolent arrangement
the greater part of life is sunshine…
With Love n Regards, Jnpatel.......
Walking, Beneficial for Everything
Jus to check this out.......
The Organs of your body have their sensory
touches at the bottom of your foot,
if you massage these points you will find relief
from aches and pains as you can see the heart is on the left foot.
Typically they are shown as points and arrows to show
which organ it connects to. It is indeed correct since the
nerves connected to these organs terminate here.
This is covered in great details in Acupressure studies or textbooks.
Our body is constructed so well that the nature
thought of even this. Nature made us walk so that
we will always be pressing these pressure points and
thus keeping these organs activated at all times.
So, keep walking...
Wednesday, October 13, 2010
happy ganesh chaturthi
ગણપતિના સૂપડા જેવા કાન છે.
તે સંકેત આપે છે કે
કાન ઉપર પડતી બધી વાતો મન ઉપર ન લેતાં
તેને ખંખેરી નાખવી જૉઈએ.
ગણપતિની સૂંઢ તેના ઐશ્વર્યનું પ્રતીક છે.
હાથી જમે ત્યારે સૂંઢથી વેરતો વેરતો મસ્તીથી જમે છે
તેથી સેંકડો કીડી-મકોડા પણ જમતાં હોય.
તારી પાસે વૈભવ છે ને?
તો મસ્તીથી ભોગવ પણ જેની પાસે નથી તેને પણ ભોગવવા આપ.
ગણપતિના બે દાંતમાંથી એક દાંત ખંડિત છે અને બીજો આખો છે.
તો ખંડિત થયેલો દાંત એ બુદ્ધિનું પ્રતીક છે
અને આખો દાંત એ શ્રદ્ધાનું પ્રતીક છે.
‘પ્રભુ! અમારા જીવનમાં વિધ્નો ન આવે
અને આવે તો
તે ટાળવાની દૃષ્ટિ અને સામથ્ર્ય આપ!'
geetaji
શ્રીમદ ભગવત ગીતા જ્યા સત્ય અને પ્રેમ સાથે ચાલે છે, એવા ધર્મગ્રન્થ નુ નામ છે, શ્રીમદ ભગવત ગીતા શ્રીમદ ભગવત ગીતા ૯ અક્ષરનુ નામ છે ૯ પ્રુણાક છે, એટલે જ શ્રીક્રુષ્ણ પુર્ણ પુરુસોતમ છે મહાભારત ના ૧૮ પર્વ પેકી ૬ઠુ પર્વ એ ભિષ્મપર્વ છે.ભિષ્મપર્વ ના અધ્યાય ૨૫ થી ૪૨ એમ ૧૮ અધ્યાય તે શ્રીમદ ભગવત ગીતા ૧૮ અધ્યાય, ૭૦૦ શ્ર્લોક, ૯૪૧૧ શબ્દ, ૨૪,૪૪૭ અક્ષરો છે ૫૭૫ શ્ર્લોક શ્રીક્રુષ્ણ, ૮૫ શ્ર્લોક શ્રી અર્જુન, ૩૯ શ્ર્લોક સન્જય, અને ૧ શ્ર્લોક ધુતરાષ્ટ્ર બોલે છે શ્રીક્રુષ્ણ ઉવાચ ૨૮ વખત, સન્જય ઉવાચ ૯, અને ધુતરાષ્ટ્ર ઉવાચ ૧ વખત, એમ ૫૯ વખત ઉવાચ આવે છે ગીતાના પ્રથમ અધ્યાયનો પ્રથમ શબ્દ "ધર્મક્ષેત્ર" છે, અને અઢારમા અધ્યાયનો છેલ્લો શબ્દ "મમ" છે મારુ ધર્મક્ષેત્ર ક્યુ ? અર્થાત આ બે શબ્દો વચ્ચેનુ બધુ. અર્થાત ગીતા. |
આપણે ત્યાં વિખવાદ વધારે અને સંવાદ ઓછા છે
આપણે ત્યાં વિખવાદ વધારે અને સંવાદ ઓછા છે.
ઘરમાં સૌથી ઓછી બોલતી વ્યક્તિને કોઇકવાર સાંભળવાનો પ્રયત્ન કરવા જેવો છે.
ઘણું બધું અને ઘણું સરસ બહાર આવશે
. આપણા સમાજમાં આમન્યા, વિવેક, મર્યાદા વગેરેના નામે અનેક બંધનો છે.
પરિણામે દીકરો બાપ સામે ખુલીને વ્યક્ત નથી થતો.
પત્ની આખી જિંદગી મૂંગા મોઢે મૂંઝાયા કરે છે
. દીકરી ન બોલ્યામાં નવ ગુણ જેવી કહેવતને
વાગોળતાં વાગોળતાં આંસુઓ બધા અંદર ઉતારી જાય છે.
આ બધા પાછળનું સૌથી મોટું કારણ અભિવ્યક્તિનો અભાવ છે.
આપણી કેળવણી લખવા આધારીત રહી છે.
આપણું કુટુંબજીવન વાણી સ્વાતંત્રયના અભાવમાં અટવાય છે
એટલે વૈચારિક વેન્ટિલેશન થતું જ નથી
અને પરિણામે મનમાં જન્મતા ક્રોધ, વિચાર, ચિંતા, બીક, લાગણી, નફરત
વગેરે બધું માણસની અંદર ધરબાઇ જાય છે.
jn
મને યાદ કરજો---સ્વાર્થ વિનાનો પ્રેમ વહેંચી ઈશ્વરને ગમતો બનું
કરવી તો છે, અમારે પણ બધી વાતો,
ક્યાં થાય છે, હવે આપણી મૂલાકાતો.
વાતોમાં, તમે ન કરતા મારી વાતો,
વાતનું કરી વતેસર, લોકો કરશે વાતો.
કહો કોને સંભળાવું, હવે મારી વાતો,
અહી કોણ છે, જે સમજે મારી વાતો.
હોઠોની પાછળ, ગુંગળાય છે વાતો,
સમયની કેવી છે, કાતિલ આ કરવતો.
મણકા બનીને, નયનથી ટપકે વાતો,
મારી અદામાં, તમારી માળા જપતો.
કહી દઉં હવાને, હું આપણી તે વાતો,
સાંભળી હવા પાસેથી, મને યાદ કરજો.
પુષ્પની સુગન્ધ માણી મુજમાં એ નિર્માણ કરું.
કુદરતની સુંદરતા જાણીને ખુદને સુંદર કરું.
રસનો બેહદ ચાહક છું, હું રસથી ભરપુર બનું.
મળી પ્રેમથી માનવના જીવનમાં આનંદ ભરું.
સૃષ્ટિનું સંગીત પીછાણી વાણીમાં ગુંથી લઉ.
વાયુનો સુસ્પર્શ પામી સૌના દિલ શીતલ કરું.
નિર્માતા જાણી પ્રભુને, ભાવથી મન પુષ્ટ કરું.
સ્વાર્થ વિનાનો પ્રેમ વહેંચી ઈશ્વરને ગમતો બનું.
jn
happy birthday
Subscribe to:
Posts (Atom)